Free ગુજરાતી સુવિચાર 2022

જીવનમાં જ્યારે તમારી પાસે કંઇ બચ્યું જ ના હોય ત્યારે તમારું ભવિષ્ય તો બાકી જ હોય.

ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો, અને એ જ ઈશ્વર સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપણ ને આપતો નથી.

આપણાં સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં ત્યાં સંબંધ હારે છે, અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં ત્યાં સંબંધ જીતે છે.

સુખી થવા માટે ત્રણ વસ્તુ હમેશાં યાદ રાખવી રડવું નહી, જરૂર વગર લડવું નહી અને કોઈને નડવું નહી.

જીવનમાં ક્યારેક તોફાન આવે તે પણ ખૂબ જરૂરી છે, કારણકે આપણને ખબર તો પડે કોણ હાથ છોડાવીને ભાગે છે, ને કોણ હાથ પકડીને સાથે ચાલે છે.

આપણા હૃદય માં જો પ્રભુનું આસન હોય અને આપણા મન માં પ્રભુનું શાસન હોય તેનું જીવન હંમેશા વૃંદાવન જ હોય. 

જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા જ કરવી નહિ અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા ક્યારેય કરવી નહિ.

લાખો રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય પણ સમય તો પ્રભુ ના હાથમાં જ રેહવાનો છે.

સફળતા એ તમારો પરિચય આ દુનિયા સાથે કરાવે છે, અને નિષ્ફળતા એ તમને દુનિયાનો પરિચય કરાવે છે