આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ ગુજરાતી | azadi ka amrut mahotsav nibandh gujarati ma

આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ ગુજરાતી | azadi ka amrut mahotsav essay in gujarati | આઝાદી કા અમૃત મહોત્સવ 2022 | azadi ka amrut mahotsav essay in gujarati.

Here, I’m providing short and long essays on azadi ka amrut mahotsav in Gujarati for students with different word limits. This essay topic is useful for every student which belongs to GSEB classes 1 to 12 and also for higher classes who need to know about the topic. The language is kept very simple so that every student can very easily understand it.

આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ ગુજરાતી | azadi ka amrut mahotsav essay in gujarati

સ્વતંત્રતા એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની અમૂલ્ય ભેટ છે. આ સ્વતંત્રતા માટે ઘણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નેતાઓએ બલિદાન આપ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સ્વાતંત્ર્ય ચળવળને શ્રદ્ધાંજલિ છે. આઝાદીના 75 માં વર્ષમાં પહોંચતા, આપણે હવે વાસ્તવિક આઝાદીનો સ્વાદ ચાખી રહ્યા છીએ. 21 મી સદીનું ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે.

રાષ્ટ્રનું ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ બને જ્યારે તે તેના ભૂતકાળના અનુભવો અને વારસાના ગૌરવ સાથે ક્ષણે ક્ષણે જોડાયેલ રહે. સ્વતંત્રતાનું અમૃત તે લોકોનો આભાર માનવાનો પ્રયાસ છે જેના કારણે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ.

આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ ગુજરાતી or azadi ka amrut mahotsav nibandh gujarati ma
આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ ગુજરાતી

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પ્રગતિશીલ ભારતની આઝાદીના 75 વર્ષ અને તેના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓની ભવ્ય ઇતિહાસની ઉજવણી માટે ભારત સરકારની એક પહેલ છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, આઝાદીના અમૃત મહોત્સવ તરીકે 12 માર્ચ 2021 ના રોજ શરૂ કરવામાં આવી હતી..

12 માર્ચ પસંદ કરવામાં આવી હતી કારણ કે મહાત્મા ગાંધીએ 91 વર્ષ પહેલા 12 માર્ચ, 1930 ના રોજ અંગ્રેજો સામે દાંડી યાત્રા શરૂ કરી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ” ની સતાવાર યાત્રા 12 માર્ચ 2021 થી શરૂ થઈ અને 15 ઓગસ્ટ 2023 સુધી ચાલુ રહેશે.

આઝાદીનો અમૃત મહોત્સવ સ્વતંત્રતા સંગ્રામની સાથે સાથે સ્વતંત્ર ભારતના સપના અને કર્તવ્યને દેશની સામે રાખીને આગળ વધવાની પ્રેરણા આપશે.

૧૮૫૭ ની લોહિયાળ ક્રાંતિ, ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ ની કુરબાની, મહાત્મા ગાંધીજીના આંદોલન, અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓનું બલિદાન અને સ્વાતંત્ર્ય ચળવળને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવવામાં આવે છે.

આઝાદીકા અમૃત મહોત્સવ દેશવાસીઓને આઝાદીની કેટલીક વાતો નો પરિચય કરાવશે. ભારત આત્મનિર્ભરતા ની તરફ પગલાં માંડી રહ્યું છે. ભારતની સિદ્ધિઓ આખું વિશ્વ જોઈ રહ્યું છે.

દેશ અને વિદેશમાં ભારતીય એ પોતાની મહેનતથી પોતાને સાબિત કર્યા છે. આપણને આપણી ભારતીય સંસ્કૃતિ પર ગર્વ છે. બીજા દેશોની જેમ આજે ભારત પણ આત્મનિર્ભરતા અને વિકાસમાં ગતિમાન છે.

આઝાદીકા અમૃત મહોત્સવ ના ઉજવણી સમયે આપણે એ દેશપ્રેમીઓ ને યાદ કરવા જોઈએ જેમણે પોતાના સુખોને ઠોકર મારીને અંગ્રેજો સાથે એટલે લડાઈ કરી હતી કે ભારત આઝાદ થાય અને ભવિષ્યમાં ભારતીય સુખચેનથી જીવી શકે.

આપણો દેશ આઝાદ છે પરંતુ આપણું પણ કર્તવ્ય છે કે આપણે આપણા દેશને સુરક્ષિત અને મજબુત બનાવીએ જેથી કોઈ વિદેશીઓ આપણા દેશ તરફ આંખ ઉઠાવીને જોઇ પણ ન શકે. આઝાદીકા અમૃત મહોત્સવ આપણે મળીને ઉજવવાનો છે અને આપણા દેશને આત્મનિર્ભર બનાવવાનો છે.

Read also: 15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી

Read Also: ઉનાળાની બપોર નિબંધ

I hope the above-provided essay would be helpful for you to understand the azadi ka amrut mahotsav essay in Gujarati.

azadi ka amrut mahotsav essay in Gujarati

Jo tmne aa nibandh saro lagyo hoi to tmara friends sathe share kro.

ViralGujaratiClick here

Leave a Comment